બનાસકાંઠાના અમીરગઢના જેસોર અભ્યારણ માં કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુઓ ને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકતા પર્યટકો અને સ્થાનિકો નો હોબાળો મચાવ્યો ફોરેસ્ટ વિભાગ દ્વારા ગણતરી ને લઇ સાંજના સમયે આવેલ શ્રધ્ધાળુઓ કેદારનાથ મંદિર જતા અટકાવ્યા અમીરગઢના જેસોર અભ્યારણ માં પ્રયટકો અને સ્થાનિક લોકોએ કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકતા હોબાળો મચાવ્યો હતો દૂરથી શ્રદ્ધાળુઓ માનતા અને બાધા અને લઈ આવ્યા હતા કેદારનાથ મહાદેવના દર્શન માટે પરંતુ જેસોર અભયારણ્યમાં રીંછ ની ગણતરી ને લઇ ફોરેસ્ટ વિભાગે સાંજના સમયે દર્શનાર્થે આવેલા લોકોને અટકાવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ થી દસેક કિલોમીટર દૂર જાસોર અભ્યારણ આવેલું છે જેમાં પર્વતની વચ્ચે કેદારનાથ મહાદેવનું પાંડવોના સમયનું મંદિર આવેલું છે દર વર્ષે લાખો લોકો કેદારનાથ મંદિરના દર્શનાર્થે માટે આવતા હોય છે પોતાની માનતા અને બાધાઓનો રાખતા હોય છે જેમાં આજે સાંજના સમયે કેદારનાથ મહાદેવના દર્શન માટે દૂરથી પર્યટકો આવ્યા હતા પરંતુ દર્શન માટે કેદારનાથ પર્વત પર પહોંચે તે પહેલા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ કેદારનાથ માં રીંછ ની ગણતરી હાથ ધરાઈ છે