- તલાટી એ મનસ્વી રીતે જૂની સહીઓ ના આધારે ઠરાવ કરી ભારત માલા રોડ માટે તળાવ ખોદી નાખવા કર્યા ખોટા ઠરાવો..
- ઉપ સરપંચ તેમજ સભ્યો ના આક્ષેપ….

સરહદી સુઇગામ તાલુકા ના રડકા ગ્રામ પંચાયત ના તલાટી દ્રારા ભારત માલા રોડ માં વપરાતી માટી માટે ગામનું તળાવ ખોદી માટી આપવા પોતાની મનસ્વી રીતે અને ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ તેમજ સભ્યો ને અંધારા માં રાખી જૂની સહીઓ ના આધારે ખોટા ઠરાવો કરી ખોદકામ માટે મંજુરી આપતા ગામના ઉપ સરપંચ તેમજ સભ્યો દ્રારા આવા ખોટા ઠરાવો કરવા તેમજ માટી નું ખનન કરતા ડમ્પર બંધ કરાવી કાયદેસર ની કાર્યવાહી કરવા સુઇગામ પ્રાંત કલેક્ટર,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરવામાં આવી હતી, ઉલ્જોલેખનીય છે કે પંચાયત ની બોડી ને અંધારા માં રાખી આવા ખોટા ઠરાવો પોતાની મનસ્વી રીતે થયા હોય તો આગળ ના વિકાસ નાં કામો માં પણ કેટલા ખોટા ઠરાવો કરવામાં આવ્યા હશે તેની ઊંડી તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરી જવાબદાર કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇયે,હવે જોઇયે છીયે કે ઉપ સરપંચ તેમજ સભ્યો એ કરેલ રજુઆત ને પગલે સુંઇગામ વહીવટી તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવે છે કે પછી ગેર કાયદેસર ઠરાવો કરનાર સરકારી કર્મચારી ને છાવરવામાં આવસે એ તો આવનાર સમય જ બતાવશે જે જોવું ર