કોંગ્રેસના દિગ્ગ્જ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આજે પત્રકાર પરિષદમાં રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની વાત કહી હતી. ભરતસિંહ દ્વારા જણાવ્યું હતું કે આ મારો અંગત નિર્ણય છે અને હજુ સુધી વિધાનસભાની ચૂંટણી દૂર છે. આ બ્રેક 2,3 કે 6 મહિનાનો લેવાયો છે તેમ ભરતસિંહે પત્રકાર પરિષદમાં જણવ્યું હતું.
કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહને વિવાદ છોડવાનું નામ નથી લીધું તેમ રામમંદિર પર વિવાદિત નિવેદન બાદ બે દિવસ પૂર્વે જ એક વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો હતો જેને પગલે ગુજરાતમાં તેમની ટીકા કરવાં આવી હતી પરંતુ આ વિડિઓના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા અને આ મામલે દિલ્હી હાઇકમાન્ડના કેટલાક નેતા અમદાવાદ આવ્યા હતા. દિલ્હીથી આવેલા નેતાએ અમદાવાદ હોટલમાં મિટિંગ કરી હતી. આ મીટીંગ બાદ જ ભરતસિંહ દ્વારા રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ભરતસિંહ સોલંકીનું લગ્નજીવન હાલ ચર્ચામાં છે અને તેણે આજે પોતાની પત્ની રેશ્મા પટેલનું નામ લીધા વગર જ ઘણા બધા આક્ષેપ કરવમાં આવ્યા હતા. બે દિવસ પૂર્વે જ તેમની પત્નીએ ભરતસિંહ સોલંકીને તેમના આણંદ સ્થિત બંગલામાં એક યુવતી સાથે રંગે હાથે પકડ્યા હતા જો કે ભરતસિંહે આજે પોતે યુવતીના ઘરે આઈસ્ક્રીમ ખાવા ગયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ત્યાં ઘણા લોકો હાજર હતા.