વાવ ના ગુંદીયાસર તળાવ ને ઊંડું કરવા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ખાધ મુહૂર્ત કરવામાં આવ્યું ….

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સરહદી પંથક માં ઉનાળા ની સીજન ચાલુ થતા સરહદી પંથક માં બુમોરાડ વચ્ચે બનાસકાંઠા માં ભૂગર્ભજળ  ના તળ ઊંચા લાવવા જીલ્લા કલેકટર આનંદ પટેલ સાહેબે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેમાં જીલ્લા કલેકટર આનંદ પટેલે બનાસકાંઠા ૫ તાલુકા ના ૯ ગામો માં તળાવો માટે નીમ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે .જે અંતર્ગત વાવ તાલુકા ૬ ગામો ના તળાવો સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લેવામાં આવ્યા છે.જેમાં નાળોદરવ તળાવ નું જંગલ કટિંગ ,રામપુરા નું જંગલ કટિંગ અને ગટર લાઈન ,જોરડીયાળી ગામ નું તળાવ ઊંડું કરવાનું,મીઠાવીચારણ ,ઉમેદપુરા ગામ ના તળાવો ઊંડા કરવા વગેરે ગામો નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વાવ ગામ નું ગુંદીયાસર તળાવ ઊંડું કરવા આજ રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા -૦1/૦4/૨૦૨૧ ખાધ મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જીલ્લા નોડલ અધિકારી પાલનપુર ,ગુમાનસિંહજી ચૌહાણ (માડકા ) ,નાગજીભાઈ (ટડાવ),રામસેગ ભાઈ રાજપૂત (કેશરકૃપા) ડી .એમ .રાજપૂત ,કાનજીભાઈ રાજપૂત ,વાવ તાલુકા વિકાસ અધિકારી બી.જી રાજપૂત ,વાવ સરપંચ પુત્ર ઠાકરસિંહ ભાઈ ,સુરેશભાઈ ત્રિવેદી,વાવ મામલદાર તેમજ ગામ ના નામી અનામી લોકો હાજર રહી ખાધ મુહૂર્ત કરવામાં આવ્યું…   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *