ગુજરાત રાજ્ય ની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ પદે કુંવરાણી કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાની ભવ્ય જીત બાદ સરપંચન નો ચાર્જ સંભાળ્યો હતો જ્યાં સોમવારના રોજ પ્રથમ બેઠક મીટીંગ મા ડેપ્યુટી સરપંચ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી અધિકારી તાલુકા પંચાયત કચેરીના અધ્યાસી અધિકારી જે. આર. ગઢવી અધિક મદદનીશ ઇજનેરની હાજરીમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે અરજણભાઈ વધાજી ઠાકોર ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. દિયોદર ગ્રામ પંચાયત કચેરી ના 16 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત જેમાં 13 વોર્ડ માં સદભાવના પેનલની જીત થઈ હતી. જેમાં આજે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે કુંવરાણી કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા સરપંચ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં સભામાં રાજવી માનસિંહજી વાઘેલા ,પૂર્વ સરપંચ અને પંચાયત સદસ્ય ગિરિરાજસિંહ વાઘેલા સહિત ગ્રામ પંચાયત ના 16 સદસ્યો તેમજ ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને ફૂલહાર, શાલ ઓઢાડી શુભેચ્છા પાઠવી હતી.