બનાસકાંઠા જિલ્લામાં આર.ટી.ઇ.એકટ-૨૦૦૯ હેઠળ ધોરણ-૧ માં પ્રવેશ ફોર્મ ભરવાનો તા. ૩૦ માર્ચથી પ્રારંભ થયો

(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજય સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એક્ટ-૨૦૦૯ હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ ટકા મુજબ ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. તા.૦૧ જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને આર.ટી.ઇ. વેબપોર્ટલ ઉપર દર્શાવેલી વિગત પ્રમાણે અગ્રતાક્રમ ધરાવતા હોય તેવા બાળકો જ આ યોજના અન્વયે પ્રવેશપાત્ર બને છે .

 આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા બનાસકાંઠા જિલ્લાના લાભાર્થી વિધાર્થીઓ તા.૩૦ માર્ચ-૨૦૨૨ થી તા.૧૧ એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન આર.ટી.ઇ.ની https://rte.orpgujarat.com વેબસાઇટ પરથી પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગે વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કે કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતુ હોય ત્યાં) સહિતના જરૂરી તમામ દસ્તાવેજો ઓરિજીનલ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. બનાસકાંઠા જિલ્લામાં આર.ટી.ઇ. અંતર્ગત પ્રવેશ માટે અને માર્ગદર્શન અને જાણકારી માટે હેલ્પલાઇન નંબર : ૦૨૭૪૨-૨૫૯૬૬૮ અને નરેન્દ્રકુમાર એમ.ચૌહાણ મો. ૮૧૬૦૯૪૧૯૦૦ અથવા બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કચેરી પર સમય : સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૬:૧૦ સુધી સંપર્ક કરવાનો રહેશે. જયારે આર.ટી.ઇ. અંતર્ગત ભરેલા ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે જ રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલુ ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી તેમ બનાસકાંઠાના જિલ્લા પ્રાથિમક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમારે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *