- વાવ તાલુકા ના અંદાજે ૨૧ ગૌ-શાળા સંચાલકો અને ૨ પાંજરાપોળ ના સંચાલકો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું .
- અંદાજીત ૮૫૦૦ પશુ આ ગૌશાળા માં છે

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા માં વરસાદ ના પડવાને કારણે સરહદી વિસ્તાર ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી ગૌશાળા ને યોગ્ય સહાય ની માંગ સાથે આજ રોજ તા -૩૧/૦૮/૨૦૨૧ ના વાવ મામલદાર ને આવેદન પાઠવવા આવ્યું છે જેમાં વાવ તાલુકા ના ગૌ-શાળા ના સંચાલકો દ્વારા જણાવવા માં આવ્યું કે વાવ તાલુકા માં અંદાજે ૨૧ ગૌ-શાળા અને ૨ પાંજરાપોળ આવેલ છે જેમાં અંદાજીત ૮૫૦૦ પશુધન ની નિભાવણી અને ખર્ચ ને લઇ પશુધન સાચવવા મુશકેલ બન્યા છે જેથી ગૌ-શાળા ના સંચાલકો ની અને પશુ પાલકો ને માંગ છે કે સત્વરે સરકાર જાગે પશુ ઓ ને વારે આવે તેવી લોકમાંગ છે અત્રે ઉલ્લેખનીય છે સરહદી બનાસકાંઠા માં વરસાદ ખેચાતા ની સાથે પૈસા આપવા છતાં ધાસ ચારો મળતો ના હોવાની રાવ છે જેથી પશુ ઓ મોત ને ભેટી સહકે તેવી સ્થિતિ ના સર્જાઈ માટે સરકાર તાત્કાલિક અસર થી પશુ ઓ ને વારે યોગ્ય સહાય આવે તેવી જનમાંગ છે ..