યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ સરહદી પંથક માં કોરોના ને પગ પેસારો તથા વાવ ,સુઈગામ ,ભાભર માં ભય નો માહોલ છવાયો છે જેમાં બહાર ગામ રહેતા લોકો પોતાના માદરે વતન પહોચી રહ્યા છે અને સમગ્ર ગુજરાત માં કોરોના ની પરિસ્થિતિ ને જોઈ લોકો શહેર થી ગામ તરફ આવી રહ્યા છે જેથી ગામડા ઓ માં કોરોના કેશો વધતા જોઈ ભય નો પગ પેસારો થઇ રહ્યો છે .જેમાં માનનીય વડા પ્રધાન ના જણાવ્યા મુજબ3T ફોર્મુલા અપનાવા ની જરૂર છે જેમાં ટ્રેસીગ ,ટેસ્ટીંગ ,ટ્રીટમેન છે જેમાં કોરોના ની વકરવાની પરિસ્થિતિ પર કાબુ મેળવાની જરૂર છે વાવ ના બ્લોક ઓફિસરે આ વિકટ પરિસ્થીતી ને કાબુ મેળવવા ગ્રામ કક્ષા એ કે વાવ શહેર માં કોરોના ટેસ્ટીંગ ના કેમ્પ નું આયોજન કરે અને વાવ તાલુકા ની આરોગ્ય ટીમ ને સર્વેલન્સ માં હરકત માં આવવા ની જરુર છે જો આ મુદ્દે કોઈ જવાબદાર તંત્ર હરકત માં નહિ આવે તો વાવ તાલુકા માં પરિસ્થિતિ કાબુ બહાર થશે જે બાબતે લોકો ને પણ સાવચેતી ના ભાગ રૂપે માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ કોરોના ના લક્ષણો જણાય તો બે હીચક લોકો એ સામે આવી કોરોના નું ટેસ્ટીંગ કરાવે જેથી ગ્રામ્ય કક્ષા એ કે ધરમાં કોરોના અટકાવી શકાય છે કોરોના ના મુદ્દે અગાઉ વાવ થરાદ ના બંને ધારાસભ્ય હરકત માં આવી કલેકટર અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ પત્ર લખી કોરોના ની પરિસ્થિતિ ની કાબુ માં લેવા કોવીડ હોસ્પિટલ અને હોસ્પિટલો માં રેમડેસિવિર ઈન્જેકશન ની અછત ને લઇ માંગણી ઓ કરવામાં આવી હતી.