સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે કોરોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં ફરીવાર સુઈગામતાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે જેમાં મામાણા ૧ ,કાણોથી ૨ ,૨ નડાબેટ BSF જવાનો નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર માં હરકત માં આવ્યું છે.આ સમગ્ર ધટના ના પગલે નડાબેટ BSF જવાનો ને સુઈગામ હોસ્પિટલ માં રાખી સારવાર આપવામાં આવી રહી છે બીજા લોકો ને હોમ અઈશોલેશન માં રાખવામાં આવ્યા છે તો બીજી બાજુ કોરોનાનો RT-PCR ટેસ્ટ આગળ લેબ માં મુકાયો છે