ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં બનાસકાંઠાની ચેકપોસ્ટ પર શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.જેમાં ગુંદરી ચેકપોસ્ટ પર 18 જણાના સેમ્પલ જ્યારે અમીરગઢની ચેકપોસ્ટ પર 8 જણાના સેમ્પલ લેવાયા,તમામ નેગેટિવ આવતાં તંત્રએ રાહત લીધી હતી .
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સી એ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે “બનાસકાંઠા જિલ્લામાં વધતા સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે મુજબ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી અમીરગઢ અને ગુંદરી ચેકપોસ્ટ પર આરોગ્યની ટીમો ગોઠવવામાં આવી છે જેઓ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરે છે જેનું ટેમ્પરેચર કે લક્ષણો શંકાસ્પદ હોય તેમના એન્ટીજન રેપિડ કીટ દ્વારા સ્થળ પર જ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગુંદરી ચેકપોસ્ટ પર 18 જણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે અમીરગઢ ચેકપોસ્ટ પર 8 જણાના સેમ્પલ લેવાયા હતા આમ લેવાયેલા તમામ 26 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.” બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગને ખાસ તકેદારી રાખવા આ અંગેની સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠા માં કોરોના નો કહેર યથાવત વધુ ૫૬ નવા કેશો …
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ગંભીર હદે વધી રહ્યું છે. જ્યાં મંગળવારે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુર ની બનાસ મેડીકલ કોલેજમાં પ્રથમ વખત RT-PCR સેમ્પલ લેવાયા હતા.મંગળવારે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુરમાં 2, દાંતા 3,વડગામ 1, લાખણી 8, દાંતીવાડા 1, કાંકરેજ 7, દિયોદર 5, થરાદ 1, ભાભર 2 મળી કુલ એન્ટીજન રિપોર્ટ 39 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે પાલનપુરના મોરિયા સ્થિત બનાસ મેડીકલ કોલેજમાં પ્રથમ વખત RT-PCR સેમ્પલ લેવાયા હતા. જેમાં 17 રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 નોંધાઇ હતી.