ગતરોજ મેઘરજ ખાતે પત્રકાર સાથે જે ઘટના બનવા પામી હતી એ સંદર્ભે પ્રદેશ મહામંત્રી શ્રી શૈલેષભાઈ પંડ્યા અને ટીમ અરવલ્લીના સાથીમિત્રો દ્વારા ઈસરી પોલીસ સ્ટેશને રુબરુ જઈને સચોટ તપાસ અને હકીકતને અંતે પત્રકાર સાથે હાથચાલાકી કરનાર પોલીસકર્મી વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.આ ઘટના અંગે પોલીસ સ્ટેશનના જ સીસીટીવી પુરાવાને આધારે ટીમ અરવલ્લીની સફળ રજૂઆતને અંતે અજીતભાઈ નામના પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે અને ઈસરી પોલીસે પત્રકાર સાથે ગેરવર્તણૂંક કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.