
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા નુ સરહદી છેવાડાનુ સૂઇગામ તાલુકા માં કોરોના મહામારી સામે લડત આપવા માટે સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાભિયાન ની શરૂઆત કરવા માં આવેલ છે પરંતુ હજી પણ કોરોના રસી બાબત ની ગેર માન્યતા નાં લીધે તથા જાગૃતિ નાં હોવા થી અમુક સમાજ કે અમુક લોકો દ્વારા રસી લેવા ની નાં પાડતા હોય છે બનાસકાંઠા જીલ્લા ના સૂઇગામ તાલુકા ના લીંબુની ગામ ના ઠાકોર વાસ વિસ્તાર માં કોરોના રસી બાબત ની ગેર માન્યતા હોવાથી આ વિસ્તાર નાં લોકો રસી લેવા માંગતા નાં હતા આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેણપ સેજા નાં લીંબુની પેટા આરોગ્ય કેન્દ્ર ની આરોગ્ય ટીમ દ્વારા આ વિસ્તાર માટે અંગત રસ લઈ મન મકમ કરી ને ઠાકોર વાસ વિસ્તાર નાં લોકો સાથે સમપર્ક કર્યો અને કોરોના રસી નાં ફાયદા તથા રસી બાબત ની ગેર માન્યતા દૂર કરેલ આ વિસ્તાર માં 18વરસ થી મોટો ઉમર ના આશરે 98જેટલા લોકો આવેલ છે આરોગ્ય ટીમ નાં ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તેમજ આશા બેનો દ્વારા ખૂબ જ જેહમત કરી ને રસી નાં લેવા માગતા ઠાકોર વાસ માં છેલા 3દિવસ માં વિસ્તાર નાં 76જેટલા લાભાર્થી ને કોરોના રસી આપી ને કોરોના રોગ સામે રક્ષણ પુરૂ પાડ્યું છે આમ આરોગ્ય સેવા ની ઉમદા ભાવના સાથે લીંબુની સબ સેન્ટર ની આરોગ્ય ટીમે સમાજ ના આરોગ્ય નાં હીત માં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે