આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ અભ્યાસ કરતાં બાળકોને રસી અપાઈ

કોરોના વાઇરસની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે.. ત્યારે કોરોના વાઇરસની બીજી લહેરની જેમ દેશમાં તબાહી ના મચે તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.. કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. ત્યારે દેશમાં બાળકોમાં હજુ સુધી રસીકરણ થયું ના હોવાના લીધે અને શાળાની શરૂઆત થઈ જવાથી બાળકોમાં ઓમીક્રોનનું સંક્રમણ ફેલાવવાની સહુથી વ દહેશત હોવાથી સરકાર દ્વારા આજથી શાળામાં અભ્યાસ કરતાં પંદરથી અઢાર વર્ષની ઉંમર ધરાવતા બાળકોને વેક્સિન આપવાના કાર્યક્રમની શરૂઆત કરી છે..

આજે આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ અભ્યાસ કરતાં બાળકોને રસીકરણ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં બાળકોને નોંધણી કર્યા બાદ કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ બાળકોમાં રસીની કોઈ આડ અસર ના થાય તે માટે અલગ નિરીક્ષણ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને બાળકોને રસી લીધા બાદ સતત તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામા આવી રહ્યા હતા. શાળામાં બાળકોને રસી આપવાનો કાર્યક્રમ આગામી નવમી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટલાઇનરને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી શરૂ થશે.કોરોના વાઇરસ વિરોધી રસી લેવા માટે આજે બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.. બાળકો આજે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લેવા માટે કતારબંધ જોવા મળ્યા હતા.. અને રસી લીધા બાદ બાળકોએ પણ તેમના અનુભવો શેર કર્યા હતા.. કોરોના વિરોધી રસી લીધા બાદ બાળકોએ પણ રસીને લઈ ચાલતી અફવાથી લોકોને દૂર રહેવા અપીલ કરવા ઉપરાંત બાળકોને પણ ઝડપથી રસી લઈ લેવા માટે અનુરોધ કર્યો હતો.બાળકોમાં રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે વેક્સિનના ડોઝ અપાવી દેવા ખૂબ જરૂરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *