વાવ ના વાંઢીયાવાસ ની ગોળાઈમાં કેમિકલ ભરેલ ટ્રેલરે પલટી મારી , ડ્રાઈવર નું મોત નીપજ્યું સાથી નો આબાદ બચાવ થયો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકોએ જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે વાવ ના વાંઢીયાવાસ ની ગોળાઈ માં થયો હતો .જેમાં કોઈ કારણસર ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કેમિકલ ભરેલ ટ્રેલરે પલટી મારી હતી .ધડાકા નો અવાજ સાંભળી આજુબાજુ માં ખેતર માં રેહેતા લોકો ધટના સ્થળે દોડીઆવ્યા હતા.જયાં ટ્રેલર નો ડ્રાઈવર ટ્રક નીચે દબાયેલ તેમજ સાથી નો આબાદ બચાવ થતા સ્થાનિક લોકોએ પોલીસ તેમજ ૧૦૮ નો સંપર્ક કરતા ધટના સ્થળે આવી પહોચી ગાડી નીચે દબાયેલ ડ્રાઈવર ને ભારે જહેમત બાદ જે.સી.બી મશીન ની મદદથી બહાર કઢાયો હતો.

જેને ૧૦૮ મારફતે તાત્કાલિક વાવ રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.જે બાદ સરકારી હોસ્પિટલ હાજર તબીબે યુવક ને મૃત જાહેર કર્યો હતો .ત્યારબાદ પોલીસ પ્રાથમિક તપાસ માં આ યુવક સંતોષભાઈ કીશ્નારામ બિશ્નોઈ ,સોનેડી રાજેસ્થાન હોવાનું જાણવા મળ્યું.ત્યારબાદ મૃતક યુવક ના શબ ને વાલી વારસા ને સોપવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *