જન્માષ્ટમી તહેવારની રજા હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ 

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારનું અનેરું મહત્વ હોય છે ત્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફની બસો હાઉસફુલ થઇ ગઈ છે. અમદાવાદથી રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા તરફ જતી બસોમાં ટીકીટ ફૂલ બુકીંગ થઇ ગઈ છે અને ખાનગી બસોમાં પણ ઉંચા ભાવ હોવા છતાં પણ ટિકિટ મેળવી લગભગ અશક્ય છે.
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો તહેવાર ઉજવવા માટે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા લોકોની ભારે ભીડ હોવાથી સૌરાષ્ટ્ર તરફ જતી બધી બસો ફૂલ થઇ ગઈ છે અને આજે અને ગઈકાલ માટે ઓનલાઇન બુકીંગ ફૂલ થઇ ગયું છે. મોટાભાગની લાંબા અંતરની બસોમાં ટિકિટ બુક થઇ ગઈ છે. અમદાવાદથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં જવા માટે ભારે ટ્રાફિક હોવાથી અમદાવાદથી વધારાની બસો દોડવામાં આવી રહી છે તેમ છતાં પણ બસો ફૂલ થઇ ગઈ છે તો બીજી તરફ ખાનગી વાહનોમાં ઉંચા દરે ટિકિટ આપીને પણ બુકીંગ કરાવી રહ્યા છે.
આજથી પાંચ દિવસ સુધી સાતમ આઠમનો તહેવાર હોવાથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં બેસવાની જગ્યા ન થતા લોકો ઉભા ઉભા પણ મુસાફરી કરવા પણ મજબુર બન્યા છે. અમદાવાદથી ખાનગી વાહનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોમાં પહેલાથી જ બુકીંગ ફૂલ થઇ ગયું છે અને વેઇટિંગ લિસ્ટ પણ લાબું છે એટલે બસ તેમજ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા સિવાય વિકલ્પ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *