મંદી લાવતો કોરોના વાઇરસ પતંગ બજારમાં લાવશે તેજી…?

ગુજરાતમાં ઉતરાયણના તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે.. અને ઉતરાયણનો તહેવાર આપણાં ગુજરાતમાં પતંગ અને દોરી વગર અધૂરું કહેવાય છે.. અને પતંગ દોરીનું સહુથી વધુ વેચાણ ઉતરાયણ પર થતું હોય છે.. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે પતંગ બજારમાં જોરદાર મંદી જોવા મળી રહી છે.. ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.. પતંગ બજારમાં સર્જાયેલી મંદીને પગલે વેપારીઓએ પતંગ અને દોરીના ભાવો ગત વર્ષની સરખામણીમાં વીસ ટકા જેટલા ઘટાડી દીધા હોવા છતાં બજારમાં મંદી જોવા મળી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓને આશા છે કે આજથી કોરોનાના લીધે બાળકોનું શિક્ષણ કાર્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને તેના લીધે હવે પતંગની ખરીદીમાં તેજી જોવા મળશે.. ત્યારે કહી શકાય કે જે કોરોના વાઇરસ ધંધા રોજગાર પર માઠી અસર નાંખતો હતો તે જ કોરોના વાઇરસના લીધે શાળાઓ બંદ થતાં પતંગ બજારમાં તેજી લાવે તો નવાઈ નહીં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *