સરહદી વાવ તાલુકાનાં ગોલગામનાં વતની કિરણસિંહ ભૂરાજી રાજપુત અને થરાદ તાલુકાનાં ચારડા ગામનાં વતની ચારડીયા વિક્રમસિંહ ઓખાજી બન્ને યુવાનો ઇન્ડિયન આર્મીમાં 11 માસની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન આવતાં બન્ને યુવાનોનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વાવ થી ગોલગામ સુધી ડીજેનાં તાલ અને વાજતે ગાજતે ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અને દેશભક્તિનાં રંગે મોટી સંખ્યામાં યુવાનો જોડાયાં હતાં.ગોલગામ ખાતે ગોહિલગામ ખાતે કુળદેવી મહિષાસુર મર્દિની આને દાદા ખેતરપાળનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. ગામમાં આવતા સમસ્ત ગ્રામજનોએ સામૈયા કરી સ્વાગત કર્યું.સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ તાલુકાનાં અનેક યુવાનો માઁ ભોમની રક્ષા કાજે ઈન્ડિયન આર્મી બીએસએફમાં જોડાઈ રહ્યાં છે.ત્યારે વાવ તાલુકાનાં ગોલગામ અને થરાદ તાલુકાનાં ચારડા ગામનાં બન્ને આર્મી જવાનો રાજપૂત કિરણસિંહ ભૂરાજી (ગોલગામ)ચારડીયા વિક્રમસિંહ ઓખાજી (ચારડા)RTC CRPF JODHPUR RAJSHTHAN11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતાં તેમની ખુશહાલીમાં સમસ્ત ગ્રામજનો અને સર્વે સમાજ બંધુઓ દ્વારા સ્વાગત કર્યું હતું.ગોહિલગામ ખાતે માઁ કુળદેવી મહિષાસુર મર્દિની અને ખેતરપાળ દાદાનાં સાનિધ્યમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.આ પ્રસંગે સમાજના અગ્રણી મુળજીભાઈ ગોહિલ, નટવરસિંહ ગોહિલ, જે.કે.સોલંકી, બહાદુરસિંહ સોલંકી ટી.કે.ગોહિલ.અને મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા.
