બનાસકાંઠા ની આપણી બેંક બનાસ બેંક છેલ્લા ૧૫ માં બોગસ ભરતી મુદ્દે ચર્ચા ના ચગડોળે ચડી હતી હજી આ મુદ્દો શાંત થયો નથી વધુ એક મુદ્દો બહાર આવતા ભાજપ પક્ષ નારાજ થતાં રાજીનામું માંગ્યા હોવાનું સામે આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વિવિધ મુદ્દે જેમાં વર્તમાન માં થયેલ બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલની કાર્ય પધ્ધતિ તેમજ નિર્ણયો ને લઈને આ રાજીનામા માંગી લેવાયા છે જેમાં અચાનક બેંકના બાયલોઝ (બેંક બંધારણ) બદલવા AGM ની વર્ચ્યુઅલ રીતે યોજવાનો નિર્ણય નિયામક મંડળના સભ્યોને જાણ કર્યા વિના લેતા પક્ષ નારાજ તો બીજીબાજુ મનસ્વી રીતે જીલ્લાની કેટલીક મંડળીઓને સભાસદ તરીકે મંજૂરી આપી અને બેંકમાં ચેરમેન બન્યા બાદ પોતાના અંગત વિશ્વાસુ અને સંબંધીઓને પ્રમોશન આપી સારી જગ્યાએ બદલી કરવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે વધુ માં બેંકના નિર્ણયમાં કેટલાક નિયામક મંડળના સભ્યોની અવગણના કરતાં વિવાદ વધ્યો હતો
શું કહે છે બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ?

વધુ માં આ મુદ્દે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચેરમેન તરીકે રાજીનામું આપવા પ્રદેશ થી સૂચના મળી છે