મોટો ઝટકો/ 60 વર્ષની ઉંમર બાદ આ લોકોને નહીં મળે પેન્શન, સરકારે અટલ પેન્શન યોજનાના નિયમો બદલ્યા

કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજનામાં રોકાણના નિયમોમાં બદલી નાખ્યા છે. આ નવા ફેરફાર 1 ઓક્ટોબરથી લાગૂ થઈ જશે. હવે બદલાયેલા નવા નિયમ અનુસાર 1 ઓક્ટોબર 2022થી અટલ પેન્શન યોજના અંતર્ગટ ટેક્સ પેયર્સ અકાઉન્ટ ખોલાવી શકશે નહીં, સરકારના આ નિયમથી ટેક્સપેયર્સને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં જોઈએ તો, આ યોજનાનો ભાગ બનવા પર 60 વર્ષની ઉંમર બાદ નિયમિત રીતે કમાણી શરૂ થાય છે. તેમાં જોડાવવા માટે મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે. નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે એક સૂચના જારી કરીને કહ્યું છે કે કરદાતાઓ 1 ઓક્ટોબર, 2022 થી અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકશે નહીં. વધુમાં જણાવે છે કે જેઓ 1 ઓક્ટોબરના રોજ અથવા તે પછી યોજનામાં જોડાયા છે અને નવા નિયમના અમલમાં આવવાની તારીખ અથવા તે પહેલાં કરદાતા હોવાનું જણાયું છે, તો ખાતું તાત્કાલિક બંધ કરવામાં આવશે. ત્યારપછી, તે સમય સુધી જમા થયેલ પેન્શનની રકમ પરત કરવામાં આવશે. તેમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. આ માટે સરકાર સમય સમય પર તેની સમીક્ષા પણ કરશે.

આ યોજનામાં 4 કરોડથી વધુ લોકો જોડાયા છે

જણાવી દઈએ કે વૃદ્ધાવસ્થામાં પેન્શનની ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2015-16માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ કોઈપણ પ્રકારની સરકારી પેન્શનનો લાભ લઈ શકતા નથી. અટલ પેન્શન યોજના (APY) દેશમાં લોકપ્રિય બની છે. નાણાકીય વર્ષ 2022 સુધીમાં, 4 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે. તેમાંથી 99 લાખ ફક્ત નાણાકીય વર્ષ 2022માં જોડાયેલા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અનુસાર, નાણાકીય વર્ષ 2022 ના અંત સુધીમાં પેન્શન યોજનાના 4.01 કરોડ સબ્સ્ક્રાઇબર્સ હતા. જેમાં 44 ટકા મહિલાઓ છે. આંકડા અનુસાર, લગભગ 45 ટકા APY સબ્સ્ક્રાઇબર્સ 18-25 વર્ષની વય જૂથમાં છે.

જાણો યોજનાની વિશેષતાઓ

અટલ પેન્શન યોજના એક સરકારી યોજના છે અને તે 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આનો લાભ લઈ શકે છે. 60 વર્ષ પછી પેન્શન મળવા લાગે છે. જો કે તેમાં કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર નિર્ભર કરે છે. કોઈ વ્યક્તિ લઘુત્તમ માસિક રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 5,000નું પેન્શન મેળવી શકે છે. સબસ્ક્રાઇબરના મૃત્યુ પર, નોમિનીને પેન્શનની રકમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ માટે રોકાણ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *