બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી(SPCA) દ્વારા સુઇગામ ખાતે પક્ષીઓ માટે પાણીના કુડા વિતરણ કાર્યક્રમ યોજાયો

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)દ્વારા સમગ્ર જિલ્લાના તાલુકા કક્ષાએ પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ચકલી ઘર સહિત ચણ માટેના બોક્સ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુરુવારે સુઇગામ ખાતે પ્રાંત કચેરી મિટિંગ હોલ ખાતે નાયબ કલેકટર નવલદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો
      ઉનાળાની ઋતુ શરૂ થતાં સરહદી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે લુ શરૂ થતી હોય છે જેમાં ગરમ પવનની લહેરની શરૂઆત થતાં પક્ષીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામતી હોય છે જેમાં ચકલી જેવા નાના પક્ષીઓ અત્યંત ગરમીની લુ સહન નહિ કરી શકવાના કારણે મોતને ભેટતાં આવા પક્ષીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવા નાના પક્ષીઓને મુખ્ય પીવાનું પાણી તેમજ બેસવા માટે છાંયડો તેમજ ઈંડાં મુકવા માટે માળો બનાવવા એક ઘરની જરૂરિયાત હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના માધ્યમથી છેલ્લા દસ વર્ષથી તમામ તાલુકા કક્ષાએ  પક્ષીઓના કુંડા વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં સુઇગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ માં નાયબ કલેકટર નવલદાન ગઢવી, TDO કુ.કાજલબેન આંબલિયાની  મામલતદાર પ્રવીણદાન ગઢવી  હાજરીમાં તાલુકાના તલાટી કમ મંત્રીઓ,કર્મચારીઓને ચકલીઘર કુંડા,વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું,સિનિયર એડવોકેટ કે.પી.ગઢવી,એડવોકેટ રાજુજી ઠાકોર, હાજાજી રાજપૂત,ભુરપુરી ગૌસ્વામી, રમેશભાઈ  રાજપુત લક્ષ્મીબેન ઠાકોર સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *