બનાસકાંઠા માં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની અપીલ

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની અપીલઃ પ્રકૃતિનો આનંદ માણવા, સેલ્ફી લેવા જવાનું ટાળીને દુર્ઘટના થતી અટકાવીએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે કોઇપણ પ્રકારના ગભરાહટ ફેલાવ્યા સિવાય વરસાદના પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અપીલ કરી છે. કલેકટરશ્રીએ જણાવ્યું છે કે, ગઇકાલથી જિલ્લામાં અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. હજી પણ આવતા ૨૪ કલાક માટે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લામાં લગભગ ૨૦ જેટલાં રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના કારણે ડેમેજ થયા છે તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક થઇ રહી છે. બનાસકાંઠાના મુખ્ય ૩ ડેમ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. દાંતીવાડા ડેમમાં ૮૦ થી ૮૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને મુક્તેશ્વર ડેમમાં ૧૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ત્યારે આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂર છે. વરસાદની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે જરૂર જણાય તેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *