ડીસાના આસેડા ગામ ખાતે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ દિવસની ઉજવણી કરાઈ

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ છે ગરમીનું પ્રમાણ વધે છે તેની સાથોસાથ વાયરલ ફીવરના કેસોમાં પણ સતત વધારો થતો હોય છે જેના કારણે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉનાળામાં સૌથી વધુ વપરાતા હોય છે ત્યારે આવા સમયે બીમારીનું પ્રમાણ વધે તે માટે આરોગ્ય દ્વારા દર વર્ષે આરોગ્યલક્ષી કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ આસેડા સબ સેન્ટર ખાતે ઈ એમ ઓ ડોક્ટર જીગ્નેશ હરીયાણી, અને ટી એચ ઓ ઝવેરી સાહેબના માર્ગદર્શન અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આસેડા સબ સેન્ટર પર રાષ્ટ્રીય વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મચ્છર જન્ય રોગચાળો ન થાય તે માટે મચ્છર તેમજ મચ્છરોની ઉત્પત્તિ વિશે અને તેની અટકાયત ના પગલા વિશે ડેમોસ્ટ્રેશન કરી ઉપસ્થિત જન સમુદાયને વિસ્તૃત માહિતી આપવામાં આવી અને મેલેરિયા નાબૂદી ઝુંબેશ માટે સધન સર્વેલન્સ કામગીરી તેમજ વાહક જન્ય મચ્છરો વિશે પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર મહેશભાઈ પ્રજાપતિ. કમલેશભાઈ સુપરવાઇઝર બાબુભાઈ કે રાઠોડ આરોગ્ય કર્મચારી cho વૈશાલીબેન રક્ષાબેન પ્રજાપતિ અને ભાવનાબેન ગૌસ્વામી આરોગ્ય કર્મચારીઓ Mphw ભાઈઓઅને Fhw બહેનો ઢુવા ધરપડા માણેકપુરા ના cho તેમજ આશા ફેસી લેટર અને આશાબેનો તેમજ ગામજનો ઉપસ્થિત રહી સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *