શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ ની નોટિસ થી UGVCL એ રૂપિયા 2,750/- પરત કર્યા… શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ વતી પ્રિતેશ શર્મા એક અખબારી યાદીમાં જણાવે છે કે, ડીસા ખાતે સરદાર પટેલ સ્કૂલના શિક્ષક નાનજીભાઈ ખરસાણ એ વર્ષ 2020 માં સોલાર રૂફ ટોપ યોજના હેઠળ ફોર્મ ભરી ઉત્તર ગુજરાત વીજ કંપનીની પાલનપુર ઓફિસ ખાતે ભરવાના થતાં નાણાં રુ. 2,950/- ડિપોઝિટ પેટે જમા કરાવેલ હતા. પરંતુ કોરોના મહામારી ના કારણે યોજનાનો લાભ લઈ શકેલ ન હતા. પરંતુ વર્ષ 2021 માં ફરીથી ગ્રાહકે સોલાર રૂફ ટોપ યોજનામાં અરજી કરતા યું.જી.વી.સી.એલ એ ફરી થી ગ્રાહક પાસે રુ. 2,950/- ભરાવેલા. જેથી ગ્રાહકે અગાઉ ભરેલ નાણાં રિફંડ માંગતા યુ.જી.વી.સી.એલ. ની પાલનપુર કચેરીના અધિકારીઓએ ધરાર ના પાડતા ગ્રાહક નાનજીભાઈ એ ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળનાં મંત્રી પ્રિતેશ શર્માનો ફોન થી સંપર્ક કરી લેખિત ફરિયાદ આપી હતી. ગ્રાહકની ફરિયાદના અનુસંધાને ગુજરાતના જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ ગ્રાહક ને જે સેવા આપી જ નથી તેના નાણાં ગ્રાહક પરત કરવા યુ.જી.વી.સી.એલ. ને તાકીદ કરતી નોટિસ આપી હતી.યુ.જી.વી.સી.એલ. ને નોટિસ મળતાં જ ઉત્તર ગુજરાત વીજ કંપનીના પાલનપુર હાઇવે સબ ડિવિઝનના અધિકારીએ પૈસા ચૂકવ્યા હતા