વાવ નગરમાં આશલ(વાવેચા) પંડયા ૫રીવારની કુળદેવી ચામુંડા માતાજી તેમજ હનુમાનદાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વાવ નગરમાં આશલ(વાવેચા) પંડયા ૫રીવારની કુળદેવી શ્રી ચામુંડા માતાજી, બાબરા વીર તથા હનુમાનદાદાની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. તા.૯/૪/રરના સાંજે સંતવાણી કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ પ્રસંગને અનુરૂપ ભજન સતસંગ કરી વાતાવરણ ભકિતમય બનાવ્યું હતું. તા.૧૦/૪/૨૨ના રોજ સવારે નગર ફરતે શોભાયાત્રા કાઢી જેમાં બહોળી સંખ્યામાં સમાજબંઘુઓએ ભાગ લીઘો હતો, ત્યારબાદ યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વાવ ખાતે પંડયાવાસમાં સ્થિત વાવેચા ૫રીવારોની કુળદેવી ચામુંડા માતાજી તેમજ હનુમાન દાદાનું વર્ષો જુના મંદીરનું પુન: નિર્માણ કરી નવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પાવન પ્રસંગે ૫રીવારના સભ્યો તથા વાવ-થરાદ-સુઇગામ ગુરૂબ્રાહમણ સમાજના આશલ પરીવારના વાવ, માડકા, ખીમાણાવાસ, બેણ૫, વાસરડા, ડેંડાવા, સવપુરા, ભાટવર, ભાચલી, જોરડીયાળી, ડોડગામ, વજાપુર, માંડવી, ભુજ(કચ્છ)માં વસવાટ કરતા કુળના ભાઇઓ સહ ૫રીવાર જોડાયા હતા તેમજ સમાજબંઘુઓ, વાસવસ્તીના લોકો, ગ્રામજનો તેમજ અન્ય સમાજના લોકોએ હાજરી આપી આ પ્રસંગને દિપાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *