ડીસા રાજમંદિર સર્કલ પાસે ગટરના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ

ડીસા નગરપાલિકામાં જ્યાર થી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી શહેરમાં અનેક વિકાસના કામો થયા છે ખાસ કરીને ડીસા નગરપાલિકામાં આ વર્ષે સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન આવ્યું હતું જેના કારણે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ની અધ્યક્ષતા માં તમામ સદસ્યો ના સાથ અને સહકારથી આજે ડીસા શહેરમાં નવા રસ્તાઓ, ગટર લાઇનો, સફાઈ તેમજ લાઇટોની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેરમાં આજે પણ એવા વિસ્તારો છે જ્યાં વર્ષોથી પાલિકામાં આવેલા શાસક પક્ષ દ્વારા વિકાસના કોઈ જ કામ કરવામાં આવ્યા નથી  જેના કારણે વર્ષોથી ડીસા શહેરમાં અને વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા જે અંતર્ગત ડીસાના રાજમંદિર સર્કલ પાસે આવેલ હાઈવે રોડ પર 10 થી પણ વધુ સોસાયટીઓ આવેલી છે. આ તમામ સોસાયટીઓનું ગંદુ પાણી હાઇવે પર ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો આ ગંદા પાણીના કારણે ભારે હાલાકી ભોગવી પડતી હોય છે ત્યારે આ બાબતે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને લેખિત તેમજ રૂબરૂ મુલાકાત લઇ જાણ કરતા તેઓએ આજે તાત્કાલિક ડીસા રાજમંદિર સર્કલ પાસે આવેલ હાઈવે રોડ પર નગરપાલિકા સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને આ ગંદા પાણીનો કાયમી નિકાલ આવે તે માટે જમીનની અંદર ગટરના ભૂંગળા નાંખવામાં આવ્યા હતા. વર્ષોથી ગંદા પાણીથી પરેશાન થઈ રહેલા સ્થાનિક લોકોએ આજે પાલિકાની આ કામગીરીથી પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *