સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ખેડૂતોને મુઝવતા પ્રાણ પર્શ્નો જેવા કે મીટર આધારિત વીજદર અને હોર્સ પાવર આધારિત વીજદરમાં સમાનતા લવાવવી, રિસર્વે ની ભૂલો સુધારવી અથવા ફરી સર્વે કરવું… વાવ તાલુકાનાં ગામોમાં પીવાના પાણીની જે સમસ્યા છે તેનું નિવારણ કરવું..વગેરે મુદ્દાઓ ને લઈને આગામી તા – ૧૫/૦૬/૨૦૨૨ ના રોજ વાવ ના રામજીમંદિર ખાતે ભેગા મળી મીટીંગ કરી આવેદન પાઠવવા નું આહ્વાન ભારતીય કિશાન સંધ ના પ્રમુખ હીરજી ગોહિલે વિડીઓ મારફતે જણાવ્યું છે.
