- સર્વાંગના વિવિધ પ્રશ્નો સંદર્ભે થરાદ નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર
- નર્સિંગ સ્ટાફ ને 2800નો પે ગ્રેડ મળે છે તે માટે રજૂઆત
- નર્સિંગ સ્ટાફ ને પ્રમોશન અને નર્સિંગ કોલેજો માં ભરતી ને લઇ રજૂઆત કરાઈ
ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ના નેજા તળે નર્સિંગ સર્વાંગના વિવિધ પ્રશ્નો સંદર્ભે થરાદ નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપી બનાસકાંઠા ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ના ઉપપ્રમુખ ભરત ભાઈ પારેગી એ રજુઆત કરી હતી.
હાલ નર્સિંગ સ્ટાફ ને 2800નો પે ગ્રેડ મળે છે તે વધારે અન્ય રાજ્ય ની જેમ 4200નો પે ગ્રેડ આપવા, આઉટસોર્સિંગ ના બદલે કાયમી ભરતી કરવા તેમજ હાલ કોરોના મહામારી માં નર્સિંગ સ્ટાફ ની જરૂરિયાત ઉભી થવા પામી છે ત્યારે કમ્યુનિટી હેલ્થ ઓફિસર ની ટ્રેનિંગ પુરી થઈ ગયેલા 800 યુવાનો ને પોસ્ટીંગ આપવા સહિત ની માંગ સાથે બનાસકાંઠા જિલ્લા ના થરાદ નાયબકલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપી રજુઆત કરવા માં આવી હતી.
આ અંગે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન બનાસકાંઠા જિલ્લા ના ઉપ પ્રમુખ ભરતભાઈ પારેગી એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નર્સિંગ સ્ટાફ ને પ્રમોશન અને નર્સિંગ કોલેજો માં ભરતી કરવા સહિત આવેદન પત્ર આપવા માં આવ્યું