
જ્યારે આ બાબતે વાવ મામલતદાર શ્રી ને પણ યુવાનો ની બહોળી સંખ્યા માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસ ના યુવા નેતા વિક્રમ ભાઈ સેંગલ સાથે ટેલીફોનિક વાતચીત થઈ હતી ત્યારે યે હૈ ન્યુઝ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે જો આ ભરતી બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માં નહીં આવે તો આમો આંદોલન અને કોર્ટમાં પણ જઈશું. વિક્રમભાઈ નું કહેવું છે કે જો આ ભરતી થઈ તો કોઈ પણ પ્રકાર ની ભરતી બાબતે જાહેરાત અપાઈ નથી તથા એવું પણ કહેવા માં આવ્યું છે કે, લાંચ લઇ ને એકજ કુટુંબ ના ૧૦ સભ્યો ની ભરતી કોઈજ પણ પ્રકાર ની પરીક્ષા લીધા સિવાય ભરતી કરી દેવા માં આવી છે . જ્યારે વેઇટિંગ લિસ્ટ માં રહેલા કેન્ડીડેટો ની ભરતી કરવા માં આવી નથી જ્યારે આ યુવાનો નું કહેવું છે કે GRD ભરતી માં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ થયું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યા છે. ખરેખરમાં જો યોગ્ય તાપસ કરવા માં આવે તો ખ્યાલ આવે કે આ આક્ષેપો ખરાં છે કે કેમ?