
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
એ.પી.એમ.સી. વાવના કર્મચારી આદરણીય ક્લાર્કશ્રી નાગજીભાઈ સોલંકી તેમજ પટ્ટાવાળા શ્રી રતિલાલ ગામોટનો વિદાય સમારંભ માર્કેટયાર્ડ વાવમાં ચેરમેનશ્રી રૂપશીભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો આ પ્રસંગે માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અને ડિરેક્ટરશ્રીઓ કર્મચારીભાઈઓ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. બંને કર્મચારીઓએ ઘણા વર્ષો સુધી માર્કેટયાર્ડ સંલગ્ન વિકાસના કાર્યોને આગળ ધપાવવા સંનિષ્ટ સેવાઓ આપી અને સેવાનિવૃત્ત થયા છે. આપ બંનેએ આપેલ અમૂલ્ય યોગદાન હરહંમેશા યાદ રહેશે. આપના કાર્યકાળ દરમિયાન કર્મચારીઓ, વેપારીઓ, ખેડૂતો સાથેની આપની કામગીરી સરળ, સુહાદ્પૂર્ણ અને કર્મનિષ્ટ રહી છે. તમોએ તમારો અમૂલ્ય સમય માર્કેટયાર્ડના વિકાસ પાછળ વિતાવી સેવાનિવૃત્ત થયા છો ત્યારે નિવૃત્તિના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે, પાછલું જીવન સારી રીતે પસાર કરો અને સમાજ ઉપયોગી સેવાના કર્યો કરતા રહો તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી