બાગાયત ખેતી માટે સંસ્થાને પડતર જમીન આપવાના વિરોધમાં થરાદની નાયબ કલેકટર કચેરી આવેદનપત્ર પાઠવાયું ..

યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :બનાસકાંઠા

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના અસારા ગામના ખેડૂતોએ આજે થરાદના ધારાસભ્ય સાથે બાગાયત ખેતી માટે સંસ્થાને પડતર જમીન આપવાના વિરોધમાં થરાદની નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.વાવ તાલુકાના અસારા ગામના વાડા બોવાડાની જગ્યા સરકારે બાગાયતી માટે કોઈ કંપનીને ફાળવી દેતાં ઉશ્કેરાયેલા ખેડુતોએ થરાદના ધારાસભ્ય સાથે થરાદ ધસી જઈ નાયબ કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતુ કે અમે પચાસ વર્ષથી ત્યાં રહેણાંક કરીને રહીયે છીયે અને સરકારે આ ફાળવણી કરી દેવાઇ છે.આ જમીનમાંથી પાણીનો વ્હોળો પસાર થતો હોઈ વરસાદ – પાણી ત્યાંથી નીકળે છે ત્યારે જો આ વ્હોળો બંધ થાય તો ૨૦૧૫ અને ૨૦૧૭ ના જેમ ગામ ડૂબી જવાની શક્યતાઓ સેવાઇ રહી છે આ ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીનમાં બાગાયતી ખેતી કરાવવી જ હોય તો ગામના ખેડૂતો જાતે કરશે. કોઈ કંપની કે સંસ્થાને આપવી જરૂરી નથી.

  • ન્યાય ના મળે તો આંદોલન કરવા ની ચીમકી : થરાદ ધારાસભ્ય

આ મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતે જણાવ્યું કે આજે સમગ્ર ગામના તમામ સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યુ છે અમે આશા રાખીયે છીયે કે સરકાર આ ખેડૂતો ને ન્યાય આપશે. જો ન્યાય ન મળે તો ગાધી ચિધ્યા માર્ગે આંદોલન કરશુ તેવી ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *