બનાસકાંઠાના દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણ માં 200 જેટલી બાળકોની સંખ્યા વચ્ચે માત્ર ત્રણ ઓરડા

દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણ માં 200 જેટલી બાળકોની શાંખ્યા વચ્ચે માત્ર ત્રણ ઓરડા સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના કાને વાત પહોંચી બાળકોના અભ્યાસની વાલીઓ ચિંતિત બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં દિયોદરના સરદારપુરા જસાલી પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ માં માત્ર ત્રણ ઓરડા ના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ અનેકવાર નેતાઓને તંત્રને રજૂઆત કરી છતાં તંત્રના કાને વાત ન પહોંચી સ્થાનિકોની માગ છે કે સત્વરે આ શાળામાં ઓરડા પૂરા કરવામાં આવે જેથી કરી બાળકોને અભ્યાસમાં અગવડ ન પડે આઠ ઓરડા માં પાંચ ઓરડાઓ જર્જરિત હોવાથી તેને પાડી દેવામાં આવ્યા હતા દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી પ્રાથમિક શાળાના બાળકોને ભણવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અહીં સરદારપુરા જસાલી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં કુલ આઠ ઓરડાઓ હતા. પરંતુ પાંચ ઓરડાઓ જર્જરિત હોવાથી તેને પાડી દેવામાં આવ્યા છે અત્યારે આઠ ધોરણ સુધી કુલ 205 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં બાકી રહેલા ત્રણ ઓરડામાં એક થી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને બાકીના છ થી આઠ ધોરણના 70 જેટલાં બાળકોને બીજે અલગ કમ્પાઉન્ડમાં અભ્યાસ માટે બેસાડવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *