અમદાવાદ :શહેર-જિલ્લામાં 24 કલાકમાં 171 નવા કેસ અને 219 દર્દી ડિસ્ચાર્જ, 1 દર્દીનું મોત નોંધાતા મૃત્યુઆંક 1896 થયો

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 171 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનું મોત થયું છે. જ્યારે કુલ 219 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 28 ઓક્ટોબરની સાંજથી 29 ઓક્ટોબરની સાંજ સુધીમાં શહેરમાં 159 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. તેમજ શહેરમાં 201 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 41,996 થયો છે. જ્યારે 36,864 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,896 થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *