બનાસકાંઠા ના સરહદી સુઈગામ તાલુકા ના જેલાણા ગામે યુવતી ની હત્યા ની ધટના સામે આવી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર અગાઉ એક વર્ષ પહેલા થયેલ ફરિયાદ ની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે જેમાં મૃતક ભાટિયા સોનલબેન ના ધરના જાપાં પાસે ને ચપ્પા વડે 9 જેટલા ધા જીક્કી કરપીણ હત્યા કરવામાં આવી છે અને આરોપી પરમાર અશ્વિનભાઈ નામ ના યુવકે યુવતી ને મોત ને ધાટ ઉતારી ફરાર થયો હતો જેમાં ધરના અન્ય લોકો ને ખબર પડતા ધાયલ યુવતી નું મોત નીપજ્યું હતું

.ત્યારબાદ સુઈગામ પોલીસ ને જાણ કરાતા પોલીસ ધટના સ્થળે પહોચી હતી અને સબ ને પી.એમ અર્થે સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી તે બાદ ફરાર થયેલ અશ્વિનભાઈ પરમાર વિરુધ ગુન્હો નોધી ફરાર આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કરી તજવીજ હાથ ધરી છે