બનાસકાંઠા માં થરાદ ધાનેરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોડી રાત્રે અલ્ટો કાર અને ટ્રેકટર વચ્ચે ટક્કર થતા ૫ લોકો ના મોત થયા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં ૫ લોકો ના મોત નીપજ્ય હતા મૃતકો માં ૩ પુરુષો અને ૨ બાળકો નો સમાવેશ થાય છે 4 મૂર્તક ભાખડીયાલના તેમજ 1 મૂર્તક જડિયાલીના જાણવા મળ્યું છે જયારે ૩ ધાયલો ને ધાનેરા ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃતકો ના મૃત દેહ ને પી.એમ અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ધટના બાદ ધાનેરા પોલીસ ધટના સ્થળે પહોચી હતી પોલીસે ધટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે .