દિયોદર માં મોંઘવારીના વિરોધમાં AAP દ્રારા સાયકલ રેલી યોજાઇ, કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી)

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકારણ ગરમાયુ છે. જોકે બનાસકાંઠા જીલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષના હેઠળ પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા જીલ્લામાં ત્રણ ઝોનમાં મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા નિકાળવામાં આવી હતી. જે બાદમાં વધતી જતી મોંઘવારી મુદ્દે દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાત ચીઝ વસ્તુ  જેમ કે, પેટ્રોલ-ડીઝલ તેલ કરિયાણાની  વધતાં કમરતોડ ભાવવધારા ને અંકુશમાં લાવી ઘટાડવામાં આવે એવી માંગ સાથે દિયોદર નાયબ કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને કારણે આગામી દિવસોએ રાજકારણ ગરમાઇ શકે છે. બનાસકાંઠા જીલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં યુવાનો-વડીલો પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ તરફ હવે પ્રદેશ ઉપાધ્યક્ષની મહેનત પાર્ટીને ફળે છે કે કેમ ? તે તો આગામી સમયમાં જ ખબર પડશે. આજે યોજાયેલ સાયકલ રેલીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ નવીનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મિતેશભાઈ ચૌધરી, તાલુકા ઉપપ્રમુખ અશોકભાઈ પંચાલ, તાલુકા ઉપપ્રમુખ જીવનભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *