સુઈગામ ના નવાપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો.

સુઇગામ તાલુકાના અંતરિયાળ નવાપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના અધ્યક્ષ સ્થાને વાવ વિધાનસભાનો પક્ષના કાર્યકર્તાઓનું સંમેલન અને નવા કાર્યકર્તાઓનો આવકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો,જેમાં આપ નેતા ગોપાલ ઇટાલીયાએ સરહદી વિસ્તારમાં ચૂંટાયેલા નેતાઓની નિયત ખરાબ છે,નબળી નેતાગીરીને કારણે સરહદી વિસ્તારમાં રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે,દવાખાનાની હાલત બદતર છે,તેમ કહી ઝાટકણી કાઢી હતી,કાર્યક્રમમાં 50 જેટલા યુવા કાર્યકર્તાઓ આપમાં જોડાતાં પ્રદેશ અધક્ષે ટોપી પહેરાવી આવકાર્યા હતા,આ કાર્યક્રમમાં આપ ના નેતાઓ ભેમાંભાઇ પટેલ,રમેશભાઈ નાભાણી, ડો,ભીમ પટેલ , વાવ તાલુકા આમ આદમી પ્રમુખ કે .કે .રાજપૂત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *