બનાસકાંઠા જીલ્લા ના થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે મહિલાએ જંપલાવ્યું હોવાની કોઈ સ્થાનિકે નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી તરવૈયા સુલતાન મીર દ્વારા બે બાળકોના મૃતદેહ બહાર કઢાયા બાકીના લોકોની શોધખોળ હાથ ધરી છે ફાયરટીમના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે તેવી જાણ કરતાં ફાયરટીમ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના દેથળી ગામની મહિલા અને ધરાધરા ગામના ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાથી પરણિત મહિલા પોતાના સંતાનો સાથે મુખ્ય નર્મદા નહેર ઉપર આવી પ્રેમી સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ આવ્યું છે આથી સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી બે બાળકોના મૃતદેહોને પીએમ અર્થે થરાદ ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તરવૈયા દ્વારા આગળની શોધખોળ હાથ ધરવામાં આવી છે સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં જેમાં સૌકોઈના મોઢે અલગ અલગ પ્રકારના સવાલો થઈ રહ્યા હતા જેથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં નિર્દોષ બાળકોની હત્યા થઈ છે જેથી લોકો મહિલા તેમજ ઇસમ સામે ફિટકાર વરસાવી રહ્યાં છે