ડીસાના થેરવાડા ગામ ખાતે હરજીવન પટેલની અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઇ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ડીસા તાલુકામાં દરેક ગામમાં એક સાથે તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે અંતર્ગત આજે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે ડીસા તાલુકાના થેરવાડા ગામ ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન હરજીવનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ભારત વર્ષમાં આજે ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે યોજાયેલી તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્ય બળવંતજી દરબાર, સરપંચ ,નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીગણ,નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગ્રામજનો શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા નાલંદા વિધાલયથી નીકળેલી આ રેલીમાં દરેકના હાથમાં તિરંગો લહેરાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમાં રંગાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *