ડીસાના સાંઈબાબા મંદિર ખાતે વંદે ગુજરાત યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસ ને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ રથ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. છેલ્લા બે દાયકામાં થયેલાં વિકાસનાં કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.આ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ કામો અને યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે.વંદે ગુજરાત યાત્રા અંતર્ગત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નાગરિકોને ભાજપ સરકારે ગુજરાતમાં કરેલા વિકાસ અંગેની માહિતી આપવામાં આવશે. ગુજરાતના ધારાસભ્યો અને સંસદસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં જઈને લોકસંવાદ કરશે.જે અંતર્ગત આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા ડીસાના સાઈબાબા મંદિર ખાતે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં સુશાસનના 20 વર્ષની ઉજવણીના વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભો નું વિસ્તૃત લોકોને માહિતી આજે સાઇબાબા મંદિર ખાતે આપવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ઘેલોત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીટાબેન પટેલ ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર મહામંત્રી હકમાજી જોશી મહામંત્રી રાકેશભાઈ પટેલ તેમજ શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી આજે વંદે ગુજરાત યાત્રાને ડીસાના સાઈબાબા મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *