ડીસા શ્રાવણ માસ માં નોન વેજ ની દુકાનો બંધ રાખવા આવેદનપત્ર અપાયું

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમા લીન બની આરાધના કરતા હોય છે ત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ભગવાન શિવની આરાધના ઉપાસના કરી ભક્તિમાં લીન થઈ પવિત્ર શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરી શિવ ભગવાનની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જીવ હત્યા બંઘ થાય અને ડીસા શહેરમાં નોન વેજ તેમજ કતલખાના આમલેટનું વેચાણ બંઘ કરવા માટે આજરોજ હિન્દુ યુવા સંગઠન એકતા એજ લક્ષ્ય તેમજ કરણી સેના સંગથન દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ સહિત ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાં અને નંગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ડીસા ના ગવાડી વિસ્તાર મીરા મહોલ્લા ફુવારા સર્કલ સહિત જ્યાં જ્યાં નોનવેજ નતેમજ આમલેટનુ વેચાણ થાય છે તેમજ મુંગા પશુઓની કતલ થાય છે તેને બંઘ કરાવા માટે રજુઆત કરવામાં આવી હતી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *