પાલનપુર કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના રાજ્ય મંત્રીશ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વર્ષ- ૨૦૨૨-૨૩ના બનાસકાંઠા જિલ્લાના ૧૪ પૈકી ભાભર અને કાંકરેજ સિવાયના ૧૨ તાલુકા માટે ફાળવાયેલ કુલ રૂ. ૧૬.૦૦ કરોડ સામે કુલ રૂ. ૧૬.૮૧ કરોડના ૮૮૪ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જિલ્લાના આયોજનમાં ૧૫ ટકા વિવેકાધિન યોજના- સામાન્ય, ખાસ અંગભૂત યોજના, ૫ ટકા પ્રોત્સાહક યોજના અને આદિજાતિ પેટા વિસ્તાર યોજના વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાની ૬ નગરપાલિકાઓ ધ્વારા રૂ. ૧.૬૫ કરોડના ૨૯ કામોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતુ. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઇન, સ્વચ્છતા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, છેવાડાના વિસ્તારમાં રહેતો લોકો સુધી રાજ્ય સરકારશ્રીની યોજનાઓ સરળતાથી પહોંચે અને તેઓ વિકાસથી વંચિત ન રહે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આજે મંજુર કરવામાં આવેલ વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમણે અમલીકરણ