બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા ના તનવાડ ગામે મકાન ધરાશયી થયુ : જાનહાનિ ટળી.. ભાભર તાલુકા ના તનવાડ થી સણવા જતાં ત્રણ કિલો મીટર ના રસ્તા માં વરસાદી પાણી ભરાઇ જતાં વિધાર્થીઓ અને ખેડૂતો પરેશાન… વીસ દિવસથી વરસાદી માહોલ અને ભાભર તાલુકાના મા છેલ્લા ચાર દિવસ થી સતત પડી રહેલા વરસાદને કારણે ભાભર તાલુકા ના તનવાડ ગામા ના દેસાઈ માધાભાઇ લેબાભાઈ નુ દેશી નળિયા વાળું નું મકાન ધરાશયી થયુ હતું જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી વરસાદ ને કારણે મકાન ધરાશયી થતાં મોટું નુક્સાન થવા પામ્યું હતું વરસાદ ને કારણે તનવાડ ગામે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાતા તનવાડ થી સણવા જવાના ૩ કિલો મિટર ના રસ્તા માં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત ગામ લોકોને અવર જવર કરવા માં મુસ્કેલી નો સામનો કરી રહ્યા છે જવાબદાર તંત્ર ને વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ નિરા કરણ આવેલ ન હોવાથી સત્વરે રસ્તા નું કામ હાથ ધરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે..