ડીસા તાલુકામાં વધી રહેલા લંપી વાયરસના શહેરમાં અત્યાર સુધી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે સતત વધી રહેલા લંપી વાયરસના કહેરમાં અનેક પશુપાલકોએ તેમના પશુઓ ખોવાનો વારો આવે છે વહીવટી તંત્ર દ્વારા પશુપાલકોને પોતાના મહામૂલા પશુઓ ન ખોવાનો વારો આવે તે માટે સતત ગાયોનો સારવાર આપવામાં આવી રહી છે તેમ છતાં પણ ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં લંપી વાયરસ તેનો કહેર બતાવી રહ્યો છે અને તેમાં અસંખ્ય પશુઓ રોજે રોજ મોતને ભેટી રહ્યા છે ત્યારે હાલમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે ડીસાના યુવાનોએ બાલારામ ખાતે આવેલ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવનનું મુખ્ય હેતુ ડીસા સહિત આજુબાજુના ગામોમાં જે પ્રમાણે લંપી વાયરસથી પશુઓના મોત થઈ રહ્યા છે તેના થાય તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી હતી આજે યોજાયેલા આ હવનમાં ડીસાના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુંતી આપી હતી અને લંપી વાયરસ પશુઓમાંથી જતો રહે અને પશુઓ બચી જાય તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી હતી