વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં શ્રી ધરણીધરજી ધામ ખાતે શ્રાવણ સુદ 11થી પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાયો હતો.જેમાં વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતીરક્ષાબંધનનાં તહેવારને લઈને શ્રદ્ધાળુઓની ભીડનું પ્રમાણ દર પૂનમ કરતાં ઓછું જોવા મળ્યું હતું. જેમાં શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સંચાલિત શ્રીરામજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી તથા મહામન્ડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજનાં આશીર્વચન લઈ ધન્યતા અનુભવી હતી.પવિત્ર યાત્રાધામ ઢીમામાં આવેલ શ્રી રબારી સમાજની ધર્મશાળામાં માવદાસજી મહારાજે ભાવિક ભક્તોને આશીર્વચન હતાં…