દિયોદર ખાતે ઠાકોર સમાજ શિક્ષક મંડળ દ્વારા આયોજિત વિધાર્થીઓ નો સન્માન સમારંભ યોજાયો

દિયોદર ઠાકોર સમાજ છત્રાલય ખાતે આજ રોજ દિયોદર તાલુકા ઠાકોર સમાજ શિક્ષક મંડળ દ્વારા દિયોદર ખાતે તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ રાખવા માં આવ્યો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી હતી વિધાર્થીઓ દ્વારા રજીસ્ટેશન કરવા માં આવ્યું હતું ત્યાર બાદ વિધાર્થીઓ ને સન્માનિત કરવા માં આવ્યા હતા શિક્ષક મંડળ દ્વારા તેજસ્વી વિધાર્થીઓ ને સન્માનિત કરતા દિયોદર ઠાકોર સમાજે શિક્ષકો નો આભાર માન્યો હતો આ પ્રસંગે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે સમાજ માં શિક્ષણ લાવવું એ આપણી મૂળભૂત ફરજો છે દીકરા દીકરી ને ભણાવવી જોઈએ ઉચ્ચ શિક્ષણ આપી તેની જીવન કારકિર્દી બને તેવા પ્રયત્નો કરવા જોઈએ બીજી તરફ કેશાજી ચૌહાણે મતાધિકાર પર ભાર મુકતા જણાવેલ કે આ દેશ ના નાગરિક તરીકે મત આપવો એ પણ આપણી ફરજ છે એટલે તેમણે મતદાર યાદી સુધારણા ના જે કાર્યક્રમ ચાલે છે તેમાં 18 વર્ષ થી ઉપર ની ઉંમરના રહી ન જાય તે માટે જાગૃત થઈ નોંધણી કરાવવા પર પણ ભાર મુક્યો હતો આ કાર્યક્રમ માં દાતાઓ ને સદારામબાપુ નો ફોટો આપી સન્માનિત કર્યા હતા તેમજ તેજસ્વી વિધાર્થીઓ ને પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમ આ ટૉટાણા આશ્રમ નાં સંત શ્રી દાસબાપુ એ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે ઠાકોર સમાજ ના શિક્ષક મિત્રો સમાજ ના અગ્રણીઓ યુવાનો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *