ગુજરાત :રાજ્યમાં થોડો સમય સુધી કોરોનાના દૈનિક કેસો સ્થિર થયા બાદ ફરી વધવા લાગ્યા છે. 24 કલાકમાં 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી નવા 990ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,જ્યારે 7 દર્દીના મૃત્યુ થયા છે. તેમજ 1055 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ સાથે જ સાજા થવાનો દર 90.95 ટકા થઈ ગયો છે, એટલે કે 100 દર્દીએ 90થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. હાલ રાજ્યમાં 12,398 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 63,13,668 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,77,598 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,747ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 61 હજાર 525 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 12,326 એક્ટિવ કેસ છે,જેમાંથી 67 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12,259ની હાલત સ્થિર છે.