યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ વિદ્યાર્થીઓ સહીસલામત : ૧૯ વિદ્યાર્થીઓ રોમાનિયા, ૩ પોલેન્ડ અને ૪ વિધાર્થીઓ ખારકીવ પહોંચ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થતાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ જેટલાં વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ યુદ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઈ જતાં તેમના માતા-પિતાના જીવ તાળવે ચોટ્યા છે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને સહીસલામત વતન પરત લાવવા માટેની કામગીરી રાતદિવસ ચાલુ છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ વિદ્યાર્થીઓ સહીસલામત છે. તે પૈકી ૧૯ વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચી ગયા છે, ૩ પોલેન્ડ અને ૪ વિધાર્થીઓ ખારકીવ પહોંચ્યા છે. ૧૧ વિદ્યાર્થીઓ યુક્રેનના જુદા જુદા શહેરોમાં સહીસલામત છે. જયારે ૩ વિદ્યાર્થીઓનો સંપર્ક થઈ શક્યો નથી. યુક્રેન અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. તેમ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *