વાવનાં સણવાલ ગામે વીજળીનાં ધાંધિયા રહેતા ખેડૂતો અનેક રજૂઆતો કરી છતાં તંત્ર નિદ્રાધીન

સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં દર વર્ષે ચોમાસામાં વિજળીનાં ધાંધિયા શરૂ થઈ જાય છે. તો વળી આ વર્ષે વાવ તાલુકાનાં સણવાલ,દૈયપ,કુંભારડી જેવા ગામડાઓમાં વરસાદી માહોલ બરાબર નહિ હોવાને કારણે ખેડૂતોને પોતાનાં પાકમાં પાણીની જરૂરિયાત રહે છે.ખેડૂતો ખેતી કરીને ઉત્પાદન મેળવી શકે તે માટે ખેડૂતોને સમયસય વિજળી આપવી એ અતિ આવશ્યક હોવા છતાં કેટલાક ગામડાઓમાં વિજળી સમયસર ન આવતી હોવાના ધાંધિયા રહેતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે, ત્યારે વાવ તાલુકાના સણવાલ ગામે સમયસર વિજળી ન મળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મળતી માહિતી મુજબ,વાવ તાલુકાનાં સણવાલ ગામમાં વીજળીની સમસ્યાને લઈને ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધારે હોવાથી ખેતરોમાં મચ્છર ખાઈ જાય છે.આ અંગે સણવાલ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવના ટડાવ સબ સ્ટેશનના આકોલી ફીડરમાંથી આવતી લાઈટમાં છેલ્લા કેટલાય સમયથી વીજળીના ધાંધિયા રહેવાને કારણે અમોએ લાગતા વળગતા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં અમને અનિયમિત વીજ પાવર આપી રહ્યા હોઈ જીઈબી કંપનીને વારંવાર રજૂઆતોના ઢોલ વગાડી- વગાડીને થાકી ગયા છીએ, અનિયમિત વીજ પાવરને કારણે ધાન્ય અને બાગાયતી પાકો નષ્ટ થઈ જવાનો ભય સતાવી રહ્યો હોઈ કરેલી મહેનત પાણીમાં જઈ શકે છે તેમજ વિધુત બોર્ડ દ્વારા અમારા સણવાલ ગામે વીજ થાંભલાઓની આજુબાજુમાં ઊગેલ વનસ્પતિ સહિત વૃક્ષોની ઝાડીમાં ઢંકાઈ ગયા છે છતાં કોઈ અધિકારી કે હેલ્પર સણવાલ ગામે છેલ્લા ઘણાં સમયથી લાઈનના થાંભલાઓની ફરતે સાફ-સફાઈ કરવા ફરકયા પણ નથી તેવા ગંભીર આક્ષેપો કરી વિધુત બોર્ડની મનમાની સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *