આજ રોજ જોટાણા રતનબેન હાથીભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી રતનજ્યોત વિદ્યાલય બાઈવાડા ખાતે ધો.10 અને ધો.12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સંસ્થાના પ્રમુખ નરસિંહભાઇ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો.જેમાં પ્રોફેસર અને સેનેટ સભ્ય ડો. અવનીબેન આલ,જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન રાયક્ણજી ઠાકોર,દિપકભાઈ પટેલ,રમેશભાઈ દેસાઈ,જગદીશભાઈ મોદી,મુકેશભાઈ સોલંકી, બચુજી ઠાકોર,અમરતભાઈ,આજુબાજુ ગામના હાઈસ્કૂલના સર્વ આચાર્યશ્રી અને સર્વ સ્ટાફ ગણ સાથે દરેકને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.હાઈસ્કૂલ ના મેનેજીંગ ડાયરેકટર સાગર દેસાઈ એ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.અને આભાર વિધિ શાળા ના આચાર્ય શ્રી એ કરી હતી.પૂજ્ય મહંત શ્રી અમરગીરી બાપુ, ધનાવાડા એ આશિર્વચન પાઠવ્યા હતા.જેમાં સર્વ ટ્રસ્ટી ગણ, વાલી ગણ,ગ્રામજનો,બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા